આજે તેને વ્હાલ કરવામાં કેમ વિચારવા લાગ્યો….
તેનાથી ખબર નહીં કેમ અચાનક દુર ભાગવા લાગ્યો..
લાગે છે કદાચ મારા અંતરનો અહમ જાગ્યો..
ત્યારે જ તો પ્રિય જીવને એને પળવારમાં ત્યાગ્યો..
મેં તો બસ તેની પાસે એટલો જ જવાબ માંગ્યો..
“શું હું તારા અરમાનોને વિખેરીને તો નથી ભાગ્યો..?”
તેણીએ સુંદર જવાબ આપ્યો,
તારા અંતરનો અહમ જાગવા દેને..
મન તારું ભાગતું હોય ત્યાં ભાગવા દેને..
આપણી વચ્ચેનું વધતું અંતર એ મનનું અંતર ક્યાં છે..
કારણ કે કાયમ મનથી તો હું ત્યાં જ છું, જ્યાં તું છે…
ચાલ બન્ને થોડો સમય સમયને આપીએ,
સબંધની આ પાનખર ઋતુને ધીરજથી કાપીએ..
પાનખર પછી પ્રેમ અને સમજણની નવી કુંપળો ફૂટશે..
વિશ્વાસ રાખજે, આ જીવ તારા સિવાય બીજે ક્યાં જશે…!!
By Hardik Gajjar
hardikgajjar3151